ગૂડ ન્યુઝ ઈઝ રેર ન્યુઝ !!
બક્ષીબાબુનાં બ્લૉગ પર "ગૂડ ન્યુઝ ઈઝ નો ન્યુઝ" શીર્ષક હેઠળ એક પોસ્ટ હમણાં મૂકી હતી જેનો કેન્દ્રધ્વનિ એ હતો કે સારા સમાચારોને અખબારમાં અગ્રતાક્રમ આપવાનો રિવાજ નથી. પરિસ્થિતિ આજે પણ ખાસ બદલાઈ નથી. એટલે ઈદના ચાંદની જેમ ક્યારેક ક્યારેક આવા સારા સમાચારો અખબારમાં ચમકી જાય છે. ગઈ કાલે આવા જ એક સમાચાર વાંચીને શાસ્ત્રિય સંગીતના એક અદના ચાહક તરીકે ખૂબ આનંદ થયો. જે તે રાગની રોગ પર સકારાત્મક અસર થતી હોય છે અને રાગ શ્રવણ દ્વારા રોગ નિવારણ કરી શકાય છે એ સંગીત થેરપીના સિદ્ધાંત પર આધારિત કાર્યક્રમનું જૂનાગઢમાં આયોજન થયું હતું એને લગતા સમાચાર અહીં સ્કૅન કરીને મૂક્યા છે. સાથે સાથે આ જ સમાચારમાંથી તારવેલી માહિતીના આધારે કયો રાગ કયા રોગમાં અસરકારક નીવડે છે એ ટૅબ્યુલર ફૉર્મમાં રજૂ કર્યું છે. આના પરથી કહી શકાય કે અંગત જિંદગીમાં કોઈના માટે રાગ(દ્વેષ) રાખવા કરતાં શાસ્ત્રિય સંગીતનાં રાગ સાંભળવા વધારે સારા ! :) હવે એ દિવસો દૂર નથી કે મ્યુઝિક થેરપીનું જ્ઞાન ધરાવતાં કોઈ ડૉક્ટર પ્રિસ્ક્રીપ્શનમાં અસ્થમા માટે મૅડ્રોલ લેવાને બદલે માલકૌંસ સાંભળવાનું કહે અને ડાયાબિટીસ માટે જેનુવિયાને બદલે જયજયવંતી સાંભળવાનું ...