Posts

Showing posts from July, 2013

સમિતિ : કાળા કાગડાંઓને દૂધે ધોઈને આબરૂ પાછી અપાવવાનું તરકટ !

Image
ઈન્ડિયન પ્રોસ્ટિટ્યુટ લીગ ઉપ્સ.... ઈન્ડિયન પ્રિમિયર લીગને ઈન્ડિયન પ્રોસ્ટિટ્યુટ લીગ કહેવામાં પ્રામાણિકતાથી પેટિયું રળીને ધંધો કરતી બિચારી પ્રોસ્ટિટ્યુટ્સની પવિત્રતા જોખમાવાનો ભય છે. આઈપીએલનાં કામચલાઉ હાંસિયામાં ધકેલાયેલા પ્રમુખ શ્રીનિવાસન અને રાજસ્થાન રોયલ્સના સહમાલિકને બદલે શિલ્પા શેટ્ટીના પતિ તરીકે વધારે ઓળખાતાં રાજ કુન્દ્રાને હાઈકોર્ટના બે ભૂતપૂર્વ જજોએ ક્લિન ચીટ આપીને ગુમાવેલી આબરૂ અને ઑક્યુપેશન પાછા મેળવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે. બક્ષીસાહેબે લખ્યું છે કે " હિન્દુસ્તાનનાં નગરોમાં ક્રિકેટ એ મધ્યવર્ગી મધ્યબુદ્ધિ અને નિમ્નવર્ગી નિમ્નબુદ્ધિ વયસ્કો અને સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ફેલ થતાં બચ્ચાંઓ જેટલો આઈ-ક્યુ ધરાવનારા મર્દો માટે નશો છે." આવા મંદબુદ્ધિ ચાહકોની બહુમતી હશે ત્યાં સુધી કૌભાંડોની હારમાળાં સર્જાય તો પણ ક્રિકેટની રમતનો વાળ વાંકો થવાના કોઈ આસાર દેખાતા નથી. જો કે, કેટલાંક પ્રશ્નો ઊભા થયા વિના રહેતા નથી. સૌપ્રથમ તો એ કે ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે હંમેશા કોઈને કોઈ કૉર્ટના નિવૃત્ત થયેલાં (વાંચો: નવરાં, નકામા, અને વસૂકી ગયેલાં) જજ જ કેમ દરેક સમિતિની અધ્યક્ષતા ...

હું, ચંદ્રકાંત બક્ષી.....

Image
નાટક.... કળાનો મેં અત્યાર સુધી સૌથી ઓછો માણેલો એક પ્રકાર... પૃથ્વીના પેટાળમાં પ્લેટિનમ જેમ અત્યંત અલ્પ પ્રમાણમાં છે તેમ મેં મારા જીવનમાં જોયેલાં "તખ્તા પરના નાટકો"ની સંખ્યા વાંચેલી સાહિત્યકૃતિઓ કે જોયેલી ફિલ્મોની સંખ્યાની સરખામણીએ નહિવત છે. નાનપણમાં સરદાર પટેલ યુનિવર્સિટીના હિન્દી વિભાગનાં પ્રૉફેસર નવનીત ચૌહાણે દિગ્દર્શિત કરેલું "ખયાલ ભારમલી" નામનું નાટક એ મેં જોયેલું જીવનનું સૌપ્રથમ નાટક હતું. પણ એ વખતે સાહિત્ય કે કળા તો શું જીવનનાં જ સ્વરૂપની પૂરી સમજણ ન હોય એટલી કાચી વય હતી એટલે નાટક સમજાવવાનો કે યાદ રહેવાનો ખાસ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ( એમ તો હજી પણ ક્યાં કળા-સાહિત્ય કે જીવનના સ્વરૂપને સમજવાની સમજણ વિકસી છે? એવો આડસવાલ કે આડો સવાલ અણિયાળો અંતરાત્મા ઉઠાવી રહ્યો છે.) 1 મે 2013ના રોજ ગુજરાત સ્થાપના દિને આણંદમાં કલાકાર દામોદર રામદાસી દ્વારા ભજવાયેલું "યોદ્ધા સન્યાસી સ્વામી વિવેકાનંદ" જોયું હતું. એ પછી અઢી મહિનાનાં ગાળામાં 21 જુલાઈએ અમદાવાદમાં "હું, ચંદ્રકાંત બક્ષી" નાટક જોવા ગયો. યોગાનુયોગ બંને નાટકો મોનો-ઍક્ટ હતાં. આજે ચંદ્રકાંત બક્ષીના જી...

અમારા તો બધાં વેલેન્ટાઈન્સ ડે કોરેકોરાં !

Image
કેળાંની સીઝન જેમ બારેમાસ હોય છે, અને શાસ્ત્રિય સંગીતમાં અમુક રાગો ગાવા માટે સમયનું કોઈ બંધન નડતું નથી એમ પ્રેમ વિશે લખવામાં ક્યારેય કોઈ સીઝનનો બાધ હોતો નથી. પ્રેમ વિશે લખવામાં લેખકોએ અત્યાર સુધી રેલાવેલી શાહી અને પ્રેમમાં નિષ્ફળ ગયેલાં પાત્રોએ અત્યાર સુધી વહાવેલા આંસુઓને ભેગા કરીને ક્યાંક ઠાલવવામાં આવે તો નદીઓની નદી ભરાય અને આ બંનેનું કદ સરખું હોવાની શક્યતા ભારોભાર !  ખેર, વેલેન્ટાઈન્સ ડેને જ્યારે ગણત્રીનાં દિવસો બાકી હોય અને જેમ જેમ એ દિવસ નજીક આવતો જાય ત્યારે પ્રેમમાં નિષ્ફળ એવી સિંગલ અને ફ્રસ્ટ્રેટેડ વ્યક્તિના સ્વાભિમાનમાં ક્રમશ: કેવો ઘટાડો થાય છે અને આલ્કોહૉલના સેવનનાં પ્રમાણમાં કેવો વધારો થાય છે એ ફેસબુક પરથી ઘણાં સમય પહેલાં સેવ કરેલાં નીચેનાં ગ્રાફમાં રમૂજી રીતે આલેખવામાં આવ્યું છે: સાથે સાથે, પ્રેમમાં નિષ્ફળ ગયેલાં લોકોની હાલત વિશે મેં રમૂજી શૈલીમાં એક કવિતા લખવાનો પ્રયાસ કર્યો છે:   પ્રપોઝ કરીએ તો આબરૂના ઊડે લીરેલીરાં અમારા તો બધાં વેલેન્ટાઈન્સ ડે કોરેકોરાં ! હતું જે કંઈ મારી પાસે સંવેદનાનું પ્રવાહી નિંદકો સદા કાઢતાં રહ્યાં એમાંથી પોરેપોરાં !...

એક જ માળાનાં મણકાં અથવા એક જ સીલિંગના પંખા જેવી સમાનધર્મી કાવ્યપંક્તિઓ

નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.... એમ ઘણીવાર મૂળભૂત સંવેદનાઓ એક જ હોય પણ એને વ્યક્ત કરવાનો અંદાઝ-એ-બયાં અલગ અલગ હોય છે. કવિતા સિવાય આનું બીજું ઉત્તમ ઉદાહરણ કયું હોઈ શકે? કવિતા અંગેની ઘણી ગુજરાતી કૉલમોમાં એક જ વિષય પર અલગ અલગ કાવ્યપંક્તિઓનો રસાસ્વાદ માણ્યો છે. એક જ માળાનાં મણકાં અથવા એક જ ડાળનાં પંખી અથવા એક જ સીલિંગના પંખા જેવી સમાનધર્મી કાવ્યપંક્તિઓ મને થોડી જડી આવી છે એના વિશે આજે લખવું છે. કેટલીક પંક્તિઓ સ્મૃતિઓના આધારે, કેટલીક સભાનપણે શોધી છે,  તો ક્યારેક અમુક કવિઓની રચનાઓમાંથી પસાર થતી વખતે દિમાગમાં બત્તી થાય કે આ મતલબની કોઈ પંક્તિ અન્ય કવિની રચનામાં જુદી રીતે વાંચી ચૂક્યો છું. (1) વહેવાર : ગઈકાલ સુધી કોઈને ચાહતાં હો અને કોઈ કારણસર સંબંધોમાં ઓટ આવે ત્યારે પરિસ્થિતિ આખી બદલાઈ જતી હોય છે. બક્ષીબાબુએ ક્યાંક લખ્યું છે કે માણસો જીવનભર એકબીજાને પ્રેમ કરવાના વચનો આપે છે અને પછી "કેમ છો?"નો પણ જવાબ આપતા નથી. ગઈકાલ જ્યાં પ્રેમ હતો ત્યાં આજે ઔપચારિક ઠાલો વહેવાર થઈ જાય ત્યારે પ્રેમની મધૂરી પાયલના ઝણકારનું સ્થાન પ્રેમ વિના બંધન જેવી લાગતી  સાંકળના રણકારે લીધું છે એ વ...

સ્વ. મનોજ ખંડેરિયાની ક્ષમા સાથે એક કૃતિની પેરડી

કોઈ નવું સર્જન કરવાને બદલે ક્યારેક અગાઉ સર્જાઈ ચૂકી હોય એવી કૃતિની પથારી ફેરવવી પ્રમાણમાં વધારે સરળ જણાતી કવાયત છે. જૂના ફિલ્મી ગીતોની નવી નવી રિમિક્સ આવ્યા કરે એમ પેરડી એટલે જૂની સાહિત્યકૃતિની કરેલી રિમિક્સ. જો કે આવું કરતી વખતે મારા દિલમાં કોઈ મલિન ઈરાદો ન હોવાને કારણે ગંભીર સજાપાત્ર ગુનો કર્યાના અપરાધભાવથી અંતરાત્મા ડંખતો નથી. તેમ છતાં, નાનો તો નાનો એવો ગુનો કર્યાની અવેરનેસ મનમાં રાખીને સ્વ. મનોજ ખંડેરિયાની માફી સાથે તેમની એક રચનાની પેરડી રજૂ કરું છું: મૂળ કૃતિ આ પ્રમાણે છે: પૂછ એને કે જે શતાયુ છે,  કેટલું ક્યારે ક્યાં જીવાયું છે.  શ્રી સવા બારણે લખ્યા કર તું,  શબ્દથી બીજું શું સવાયું છે.  આંખમાં કીકી જેમ સાચવ તું,  આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે.  આપણો દેશ છે દશાનનનો,  આપણો માંહ્યલો જટાયુ છે.  તારે કાજે ગઝલ મનોરંજન,  ને મારે માટે તો પ્રાણવાયુ છે. મેં લખેલી પેરડી આ પ્રમાણે છે: પૂછ એને જેણે શોધ્યો હાસ્યનો વાયુ છે  એથી કેટલું ક્યારે ક્યાં કોનાથી હસાયું છે બ્લૅક બૉર્ડ પર સમીકરણો લખ્યા કર તું વિ...

ઊંઘ ન આવે તો એ કરે પણ શું?

Image
तारों का गो शुमार में आना मुहाल है  लेकिन किसी को नीन्द न आये तो क्या करे? (આકાશનાં તારા ગણવા મુશ્કેલ છે, પણ કોઈને ઊંઘ ન આવે તો એ કરે શું?) ચિત્રલેખાની ઝલક કૉલમમાં વર્ષો પહેલાં સુરેશ દલાલના એક લેખમાં કોઈ અજ્ઞાત શાયરનો આ શેર વાંચ્યો હતો. (લેખનું જે શીર્ષક  હતું એ જ આ બ્લૉગ પોસ્ટનું શીર્ષક રાખ્યું છે.) ઊંઘ જેવી સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી બાબત ક્યારેક કામચલાઉ રીતે છીનવાઈ જાય ત્યારે ઊંઘ ઊડી જવી સ્વાભાવિક છે. હમણાં અમુક રાતો ઊંઘ ન આવવાને કારણે પડખાં ફેરવવાના હવાતિયા મારવામાં વીતી ત્યારે ઊંઘ વિશે અછાંદસ કવિતા સૂઝી. (આને કહેવાય આપત્તિને અવસરમાં પલટવી !).. પ્રસ્તુત છે એક અછાંદસ કવિતા : સાલી આ ઊંઘ...  આ ઊંઘ આટલો બધો ભાવ કેમ ખાય છે? ને પછી અનિદ્રા માટે અભાવ કેમ થાય છે? પડખાં ઘસી ઘસીને પણ જ્યારે ઊંઘ ન આવે ત્યારે ખૂબીથી બિછાવેલું બિસ્તર  મારા ઊંઘવાનાં ઉધામા સામે  ઉપહાસ કરતું હોય એવું લાગે ફૂટપાથ પર ગાઢ નિદ્રામાં સૂતેલા ગરીબને જોઈ સડક થઈ જવાય કે મારી મખમલી પથારી  ફૂટપાથ કરતાં પણ વધારે કાંટાળી? આવનારા મૃત્યુનું રિહર્સલ મનાતી ...

અલભ્ય પક્ષીની જેમ મનમાં ઊડી આવેલી એક કવિતા

વેદનાથી સુજાઈ ગયા પછી આજકાલ કવિતાઓ સૂઝવાનું પૂરબહારમાં શરૂ થયું છે. વરસાદમાં ચારે બાજુ ઊગી નીકળતા ઘાસની જેમ મગજની ગ્રૅ મૅટર-યુક્ત ભૂમિ પર કવિતાના થોડાંક છાંટણાં આજે થયા છે. સાહિત્ય સર્જનનો કોઈપણ પ્રકાર જે તે સમયે વધારે સૂઝતો હોય અને દૂઝતો હોય તો એટલા સમય પૂરતી એ જ પ્રકારમાં વધારે કલમ ચલાવીને ખેડાણ કરવું જોઈએ એવું હું માનું છું, પછી કોણ જાણે ક્યારે સર્જનાત્મકતાનો દુકાળ આવી જાય અને લાંબો સમય લખ્યા વિના કલમ ઘસતાં બેસી રહેવું પડે! આઉટ ઑફ વર્ક ઍક્ટર, આઉટ ઑફ પ્લૉટ વાર્તાકાર, આઉટ ઑફ ફૉર્મ બેટ્સમેન અને આઉટ ઑફ ટૉપિક કૉલમિસ્ટ - આ બધાંના કાર્યક્ષેત્રો અલગ છે પણ જે તે સમયે મગજમાં વ્યાપી જતો એન્ટી-પરફોર્મન્સ સૂનકાર અને સર્જનાત્મકતાનો હંગામી શૂન્યાવકાશ બાબતે આ બધાં વચ્ચે ભારોભાર સામ્ય છે.  પ્રસ્તુત છે આજે એક એક્ઝોટિક પંખીની જેમ અચાનક આવીને મને અવાચક કરી ગયેલી મીઠાં પાણીનાં ઝરણાં જેવી સ્વયંસ્ફૂર્ત કવિતા:        પ્રેમ ક્યારેક ઓસરી જાય એમ નફરત પણ ઓસરી જાય ગઈ ગુજરી ભૂલીને લોકો વેરભાવ જો વિસરી જાય  રાગ-દ્વેષ ક્રોધ ઈર્ષ્યા આ બધાં જ "માનલેવા" રોગો છે ઈલાજ ન થાય...