Posts

Showing posts from August, 2013

આસારામ...તમાશારામ : સાધુ તો "મચલતા" ભલા?

Image
જોધપુર આશ્રમમાં 16 વર્ષની છોકરી સાથે જાતિય દુષ્કર્મના આરોપો અંગે ધરપકડનો ભય જેમના પર ઝળુંબી રહ્યો છે એવા આસારામ બાપુ પર લાગેલી કલમો વિશે એક પત્રકાર ચાર-પાંચ દિવસ અગાઉ એમને પ્રશ્નો પૂછી રહ્યો હતો. આસારામ સાંભળ્યું- ન સાંભળ્યું કરીને આડાઅવળા જવાબો આપતાં રહ્યાં, "ડાયાબિટીસવાળી વ્યક્તિએ સવારે 9થી 11ની વચ્ચે ભોજન લઈ લેવું જોઈએ, રાત્રે 3થી 5માં જે માણસ જાગે છે એના સ્વાસ્થ્યને નુકસાન થાય છે..."  વગેરે વગેરે અને પછી ૐ ૐ ના જાપ બોલીને સત્સંગનો સમય થઈ ગયો હોવાનું કહીને પલાયન થઈ ગયાં. જોધપુર પોલિસે બજાવેલા સમન્સની અવગણના કરીને સત્સંગમાં લીન હોવાનું નાટક કરતાં આસારામની ગમે ત્યારે ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઈન્ડિયા ન્યુઝ ચેનલ પર એક રસપ્રદ હેડલાઈન જોવા મળી: आसाराम पूछताछ के लिए बीमार, प्रवचन के लिए तैयार ! કોઈક સમાચારમાં આસારામ માટે Self-styled Godman જેવું નવું વિશેષણ વાંચ્યું. લોકજીભે અને લોકહૈયે પ્રચલિત થતાં લોકગીતનાં મૂળ સર્જકનું જેમ નામ ખબર હોતી નથી અને એ ગીત લોકોનું બની જાય છે એ જ રીતે પત્રકારત્વમાં ઉછાળવામાં આવતાં રસપ્રદ શબ્દોના જન્મદાતાનું નામ ખબર પડતી નથી પરંતુ મ...

મિડ-ડે મીલ અને ફૂડ સૅફ્ટી બિલ : આડઅસર ખોરાકની અને બિલની ચર્ચાની !

Image
દોઢેક મહિના પહેલાં જુલાઈ 2013માં બિહારની એક શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજન આરોગનારા શાળાનાં 23 બાળકોના મોતની કરૂણાંતિકા યાદ હશે. આજે લોકસભામાં ખાદ્ય સુરક્ષા બિલ એટલે કે ફૂડ સેફ્ટી બિલ પસાર થવા દરમિયાન 6 કલાકની ટ્રિપલ મૅરેથોન ચર્ચા (એક મૅરેથોન રેસમાં આશરે બે કલાક લાગે) દરમિયાન કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત થઈ ગઈ અને એમને ઍઈમ્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. કોઈકને મધ્યાહન ભોજનની તો કોઈકને ભોજન વિશેની ચર્ચાની આડઅસર! પહેલી ઘટનામાં ભોજનમાં જંતુનાશકો હોવાને કારણે થયેલાં ફૂડ પૉઈઝનિંગને લીધે બાળકો મૃત્યુ પામ્યા. બીજામાં ફૂડ સૅફ્ટી બિલની ચર્ચાની કદાચ આડઅસર થઈ હશે એટલે સોનિયાજીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં. મિડ-ડે મીલ હોય કે ફૂડ સૅફ્ટી બિલ હોય, સાલું આજકાલ ખાવા-પીવાની બાબતમાં કોઈ સલામતી રહી નથી. જ્યોતિષની કૉલમમાં "પડવા-વાગવાથી સાચવવું"ને બદલે "ખાવા-પીવાથી સાચવવું" એવું વાંચવા મળે તો નવાઈ નહીં. ફૂડ સૅફ્ટી બિલ આમ તો ગરીબો માટે રાહત દરે અનાજ પૂરું પાડવાનું સુનિશ્ચિત કરવા માટેનું બિલ છે, પરંતુ ચાર નહીં ચારસો હાથોથી માલ-મલીદો ખાવામાં ચક...

ચંદ્રકાંત બક્ષી : સલ્ફ્યુરસ મિજાજનાં ફ્યુઅરિઅસ, ફરોશસ અને સરફરોશ લેખક

Image
20 ઑગસ્ટ 2013, ચંદ્રકાંત બક્ષીની 81મી જન્મજયંતિ... ચંદ્રકાંત બક્ષી. આ નામ કાને પડતાં જ ગુજરાતી વાચકોનાં મનમાં એક સાથે કેટલાંક આઘાત-પ્રત્યાઘાતના વમળો સર્જાય. બક્ષી એટલે એક ટાવરિંગ પર્સનાલિટી. ગગનચુંબી સ્કાયક્રેપરના સૌથી ટૉપ ફ્લોર પર નજર કરવા માટે ડોક તાણવી પડે એમ ચંદ્રકાંત બક્ષીની વૈચારિક ઊંચાઈને માપવા માટે બહુ ઊંચે સુધી મીટ માંડવી પડે. લેજેન્ડ શબ્દનો ઉપયોગ એમના માટે કરવાનું મન થાય પણ 2001માં બક્ષીબાબુના લેખનની સુવર્ણ જયંતિ નિમિત્તે જય વસાવડાએ લખ્યું હતું કે, "લેજેન્ડ મરે છે એટલે બક્ષીને લેજેન્ડ ન કહી શકાય". વાત સાચી પણ છે. એમની નવલકથાઓ, વાર્તાઓ, કટાર લેખોને દાયકાઓ વીતી ગયા હોવા છતાં વાસીપણું આભડી શક્યું નથી. 1500 વર્ષથી કાટ લાગ્યા વિના અડીખમ ઊભેલાં દિલ્હીનાં લોહસ્તંભ અને બક્ષીની કલમનું મૂળ તત્ત્વ એક જ હોવું જોઈએ. જીવાતાં જીવનના પ્રવાહોને પારખીને વાચકોના મનમાં વિચારકંપ સર્જી શકનાર લેખકનું ભલે દૈહિક નિધન થાય, પણ ચૈતસિક રીતે એ હંમેશા વાચકોના મનમાં સદા સરતાજ બની રહે છે. સ્મૃતિના આધારે અને ગુજરાતી બુક્સ વેબસાઈટ પર આપેલી લેખકોની યાદીના આધારે ગુજરાતીમાં ચંદ્રકાંત નામવાળા લેખ...

ઝલકની અકલ્પ્ય વિદાય અને મૃત્યુના આઘાતની એક ઝલક

Image
છેલ્લાં દસેક વર્ષમાં ઘણાં સ્વજનોનાં મૃત્યુ થયાં, એમાંથી એકાદ અપવાદને બાદ કરતાં કોઈનું મૃત્યુ મને રડાવી શક્યું નથી. રોજેરોજ જેમને મળતાં હોઈએ, આપણી આસપાસ વસતાં હોય એની સાથે વૈચારિક દૂરી હોવાને કારણે આત્મીયતા ઓછી હોઈ શકે. બીજી તરફ, જેની સાથે ભૌગોલિક અંતર વધારે હોય પણ વૈચારિક રીતે આત્મીયતા અનુભવાતી હોય એ દૂર હોવા છતાં આપ્તજન જેવું લાગે એમ બનતું હોય છે. મારા ફેસબુક લિસ્ટમાં સામેલ આવી જ એક માસૂમ દોસ્તનાં કમળાની બિમારીથી 10 ઑગસ્ટનાં રોજ અકાળે અવસાનનાં આઘાતજનક સમાચારથી આંખો છલકાયા વિના ન રહી શકી. ઝલક પાઠક એનું નામ. ઉંમરનો ચોક્કસ આંકડો મારી પાસે નથી પણ 22થી 24 વર્ષની આસપાસ હોઈ શકે. ઉત્સાહ, ઉમંગ અને ઊર્જાનાં ત્રિવેણીસંગમ જેવું વ્યક્તિત્વ. ફેસબુકનો એક લાડીલો અને લોકપ્રિય ચહેરો. વાંચનપ્રેમી અને વિચારશીલ જીવ. જય વસાવડા અને અશ્વિની ભટ્ટ સહિતનાં ઘણાં એનાં પ્રિય લેખકો. ફિલ્મો જોવાની શોખીન. હમખયાલ અને હમશૌકીન મિત્રો સાથે જોયેલી દરેક ફિલ્મ અંગે ફેસબુક પર નિયમિત અપડેટ મૂકે અને પોતાનું વિશ્લેષણ રજૂ કરીને નિખાલસ અભિપ્રાયો વ્યક્ત કરી જાણે. ઉંમર સહજ તોફાન, મસ્તી, નિર્દોષતા છતાં વ્યક્તિત્વમાં ક્યાંય આછકલ...

"અખિલેશ" બ્રહ્માંડમાં ભ્રષ્ટાચાર જૂજવે રૂપે અનંત ભાસે

Image
રેતીની ખાણોમાંથી ગેરકાનૂની રીતે રેતી ખોદી કાઢતાં ઉત્તર પ્રદેશમાં સેન્ડ માફિયા પર કડક કાર્યવાહીની પસ્તાળ પાડનાર આઈએએસ ઑફિસર દુર્ગાશક્તિ નાગપાલને સસ્પેન્ડ કરીને ઉત્તર પ્રદેશ સરકારે એક પ્રામાણિક અધિકારીની કારકીર્દિની ઘોર ખોદી નાંખી. સુવર્ણ ચતુર્ભુજ હાઈવે બાંધકામ પ્રોજેક્ટમાં ગોલમાલ સામે લડવાની જુર્રત કરીને 2003માં મોતને વ્હાલું કરનાર સત્યેન્દ્ર દુબે હોય કે લોકપાલ બિલ માટે આંદોલન ચલાવીને ક્રાંતિનો ક્ષણિક જુવાળ ફૂંકીને ગુમનામીની ગર્તામાં પાછા ધકેલાઈ ગયેલાં અન્ના હજારે હોય, સિસ્ટમમાં ભ્રષ્ટાચારની સર્વવ્યાપકતા સામે મેદાને પડનારાં મુઠ્ઠીભર વ્હીસલબ્લોઅર્સની સિસોટીનો તમરાં જેવો તીણો અવાજ સમય જતાં ઝીણો થઈને પછી શાંત પડી જાય છે. વ્હીસલબ્લોઅર્સને બદલે રણશિંગું ફૂંકનારા રણશિંગાં બ્લોઅર્સ પણ આવે તો પણ રાજકારણીઓની જાડી ચામડી અને નઘરોળપણાં અને નફ્ફટાઈ સામે કોઈનું કશું ઉપજતું નથી. ભ્રષ્ટાચાર સામે ક્ષણિક ફૂંકાતાં રણશિંગાના કર્કશ અવાજને બદલે લોકોને તો બસ એકબીજા પ્રત્યેની સદભાવનાની સુરીલી શરણાઈઓ જ સાંભળ્યા કરવી છે. સભ્યતા-સજ્જનતાનાં લીરેલીરાં ઉડાવતી અને સમાજને આઘાતનાં આફ્ટરશૉક્સ આપતી ઘટનાઓ અને એના આરો...

ફ્રેન્ડશિપ ડેનો બેલ્ટ કે રક્ષાબંધનની રાખડી?

ફ્રેન્ડશિપ ડે.... ફેસબુકનાં ઑબ્સેસિવ કમ્પલ્ઝિવ અઠંગ અફીણી યુઝર્સ માટે સ્ટેટસ અપડેટ્સની ઝડી વરસાવવાનું વધુ એક નિમિત્ત ! કોઈ હૈયામાંથી વહેતાં મૈત્રીભાવના પવિત્ર ઝરણાંની વાત કરશે, તો કોઈ જુલિયસ સીઝરની પીઠમાં સીઝરને બદલે ખંજર હુલાવી દેનાર દગાબાજ મિત્ર વિશે હેમેન શાહની પંક્તિઓથી અભિવ્યક્તિ કરશે, કોઈ રમેશ પારેખની જેમ મિત્રોને ચુંબનની ઢગલી સાથે સરખાવીને ખરેખરાં હોઠોને બદલે શબ્દોથી ચુંબન કરીને ભાગી જશે...જેટલી વ્યક્તિઓ એટલી અભિવ્યક્તિઓ ! વર્ષો પહેલાં કોઈ અંગ્રેજી ક્વોટનું ગુજરાતી ભાષાંતર વાંચ્યું હતું કે આખી દુનિયા બહાર જતી રહે ત્યારે ઘરમાં આવે એ સાચો મિત્ર. જો કે મને આ ક્વોટ મિત્ર કરતાં કૉલ ગર્લની વ્યાખ્યા માટે વધારે બંધબેસતું લાગે છે. જસ્ટ કિડિંગ ! :) મજાક બાજુમાં રાખીએ તો, દોસ્તી એટલે મારા માટે સાઝેદારી અને સમજદારીના સમાંતર સહ-અસ્તિત્વ સાથેનો સંબંધ. પ્રેમ કરતાં પણ દોસ્તીને હું વધારે માનની નજરે જોઉં છું. પ્રાયમરી સ્કૂલમાં ભણતી વખતે રિસેસમાં બાંકડાં પર બાજુમાં બેઠેલાં મિત્રે પ્રેમથી એક વાર ખભાં પર હાથ મૂક્યો, ત્યારે દોસ્ત પડખે બેઠો હોવાની હૂંફનો અહેસાસ શું છે એ પહેલી વાર સમજાયું હતું. મુ...

સમાનધર્મી અને સમાનમર્મી કાવ્યપંક્તિઓ....ભાગ-2

9 જુલાઈ 2013ની બ્લૉગ પોસ્ટ માં અભિવ્યક્તિ અને અંદાજની અલગતા છતાં જેમાંથી એકસરખો કેન્દ્રિય ધ્વનિ નીકળતો હોય એવી એક ડાળના પંખીઓ જેવી નજીક નજીકની સમાનધર્મી અને સમાનમર્મી કાવ્યપંક્તિઓ વિશે લખ્યું હતું. કવિશ્રી રઈશ મનીઆરનો ગઝલ સંગ્રહ "શબ્દ મારા સ્વભાવમાં જ નથી" વાંચ્યા બાદ આ પ્રકારની કેટલીક વધુ પંક્તિઓ મળી આવી છે. સાથે સાથે અન્ય કવિઓની રચનાઓ પર પણ નજર કરીએ:      (1) કવિતામાં છુપાયેલી કરુણતા: કવિ સર્જનમાં પોતાની વેદના-સંવેદનાને વાચા આપતો હોય છે, પણ દુનિયા એને ઘણી વખત એક કાવ્યકૃતિથી વિશેષ કશું માનતી નથી. સર્જનની પાછળ છુપાયેલી પીડાનું ગોત્ર સમજવાની પાત્રતા દુનિયામાં હોતી નથી. હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ છે: मैंने अपनी पीडा को रुप दिया जग समझा मैंने कविता की મહાકવિ મરીઝ પણ પોતે કરેલી દિલની વાતને માત્ર એક શાયરી સમજી લેવાની ચેષ્ટા સામે ફરિયાદ કરતાં કહે છે:  દાદનો આભાર,કિંતુ એક શિકાયત છે મને, મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી. (2)  અવ્યક્ત ઘૂટન-ગૂંગળામણ: 31 જુલાઈ 2013ના દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં બકુલ દવેની અક્ષયપાત્ર કૉલમમાં કવિ કાલિદાસનો...