Posts

Showing posts from August, 2015

પાકિસ્તાન: જિંદગી ચેનલથી દરિંદગી સુધી....

Image
200થી વધારે બાળકો સાથે થયેલી જિન્સી જ્યાદતી (યૌન શોષણ)ના પાકિસ્તાનના ઇતિહાસના સૌથી ચકચારી ચાઈલ્ડ પૉર્નોગ્રાફી સ્કૅન્ડલથી આમ જનતામાં વ્યાપેલા આક્રોશના ઓછાયા વચ્ચે પડોસી દેશમાં 69મો યોમ-એ-આઝાદી શાયાન-ઓ-શાનથી મનાવાઈ રહ્યો છે ત્યારે જાતજાતના અટકચાળાંથી આપણો જીવ અધ્ધર રાખતા પડોસી દેશ વિશે વાત કરવી છે. એક તરફ દુશ્મનને એકલે હાથે રગદોળી નાખતી અતિશયોક્તિભરી ગદર બ્રાંડ કટ્ટરવાદી ફિલ્મો બને, તો બીજી તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે ઇતિહાદ બહાલ કરવાના મકસદથી માનવતાવાદી દ્રષ્ટિકોણ સાથેની બજરંગી ભાઈજાન જેવી ફિલ્મ પણ બને. એક તરફ સરબજીતને મુક્ત કરવાનું  દબાણ વધતા જેલમાં જ એની કોટડીમાં ઢોરમાર મારીને એને ખતમ કરવામાં આવે અને બીજી તરફ ગીતા નામની કોઇ છોકરી ભૂલથી સરહદ ઓળંગી જતાં પાકિસ્તાની રેન્જર્સ એને કોઇ સામાજીક સંગઠનને સોંપવા જેટલી રહેમ પણ બતાવે ત્યારે પ્રશ્ન એ થાય કે પાકિસ્તાનનો કયો ચહેરો સાચો? શિદ્દતપસંદ કે અમનપસંદ?  વિભાજન થયું ત્યારથી ભારત સાથેની સાંસ્કૃતિક સમાનતાઓના એકએક પદચિન્હને પોતાની સરજમીન પરથી ભૂંસવાની કવાયતમાં પાકિસ્તાને કોઇ કસર છોડી નથી. ભગવાન રામના પુત્રો લવ-કુશનો જન્મ લાહોર...

પિક્ચર પઝલ

Image
આમ તો અહીં સાથે મૂકેલી બે તસ્વીરોને એકબીજા સાથે કોઇ સંબંધ હોવાનું પહેલી નજરે લાગતું નથી, પરંતુ બંનેના નામ ભેગા કરતાં એક અર્થપૂર્ણ શબ્દ બને છે જે આજના જમાનામાં ખૂબ પ્રચલિત થ્રી-ડી ટૅકનોલોજિ સાથે જોડાયેલ છે. પહેલી તસ્વીરમાં કબૂતરની એક જાતિ છે અને બીજી તસ્વીરમાં વજનનો એક એકમ છે. બંને ભેગા કરીને શબ્દ બનાવો અને એનો જવાબ તસ્વીરથી થોડી નીચેની તરફ જુઓ: જવાબ છે: . . . . . . . . . . . હોલોગ્રામ!

આસમાનમાં એકાએક લિસોટા પડતા જોયા છે? (ઉદયન ઠક્કર)

આસમાનમાં એકાએક લિસોટા પડતા જોયા છે ? અંધારી રાતે વાયુના ફોટા પડતા જોયા છે ? વૃક્ષો વત્તા વેલી ઓછા માણસ ગુણ્યા ફેકટરીઓ, અચ્છા અચ્છા ગણવાવાળા ખોટા પડતા જોયા છે. વચ્ચે આવે સોયનું નાકું, બાકી સુખ તો સામે છે; લોકોને મેં મોટા ભાગે, મોટા પડતા જોયા છે. ખોટો માણસ પણ રૂપિયામાં એક-બે આની સાચો છે, સોળ આનીના રૂપિયાઓને ખોટા પડતા જોયા છે. (ઉદયન ઠક્કર)

मैँ अनुवाद कैसे करता हूँ (अरविंद कुमार)

अनुवाद के विषय में हिन्दी भाषा के प्रसिद्ध कोशकार श्री अरविंद कुमार के महत्वपूर्ण विचार:   अनुवाद भाषाओं और संस्कृतियों के बीच संगम का काम करता है. हिंदी ने बहुत सारे अनुवाद किए, कर रही है. हिंदी में एक पूरी पीढ़ी पनप रही थी जो अँगरेजी अनुवादों के माध्यम से संसार के साहित्य से प्रभावित हो रहे थे. उस की झलक रचनाओं में उभार रहे थे. नए नए वाद जन्म ले रहे थे जिन पर अँगरेजी में पढ़े ग्रीक, रोमन या जापानी साहित्य की झलक नज़र आती थी. अगर हम अँगरेजी के ज़रिए संसार का साहित्य न पढ़ पाते तो हमारा मानस जो आज है, वह शायद न हो पाता.  कहते हैं, ‘सब से अच्छा अनुवाद वह है जिस में अनुवाद की गंध तक नहीं हो ताकि पाठक को ऐसा लगे कि वह मूल कृति ही पढ़ रहा है.’  यह मेरा भी मूल मंत्र और उद्देश्य रहा है. मैंने भी बहुत अनुवाद किए हैं. पिछले तीस सालों से मैंने पेशेवर अनुवादक के रूप में काम नहीं किया है. थिसारस के लिए डाटा संकलन की ऊब से बचने के लिए ही मैं अनुवाद करता रहा हूँ. इसलिए मेरे कई पुस्तकाकार अनुवादों को किए जाने में और उनका प्रकाशन होने में कई साल लग जाते रहे हैं. मुझे परफ़ै...

गया हूँ मैं कहाँ खो ये कभी तो पूछता होगा (सुरेन्द्र चतुर्वेदी)

गया हूँ मैं कहाँ खो ये कभी तो पूछता होगा, कभी तन्हाइयों में दिल मुझे भी ढूंढता होगा. मुझे जंगल समझ कर काटना आसान है लेकिन, करोगे क्या कभी जब पर्वतों से सामना होगा. तुम्हारा झूठ सारी ज़िन्दगी तुमको रुलाएगा, मुझे एहसास करके जब तुम्हें सच बोलना होगा. रखी होंगी किसी की जब कभी मजबूरियाँ गिरवी, तुम्हारे दिल ने अपने आपसे कुछ तो कहा होगा. किसी कि चाहतों को आज़माना ही अगर चाहो, तो तपती धूप के बारे में तुमको सोचना होगा. सफ़र पे साथ गरचे पंछियों के जा रहे हो तुम, हुनर घर लौटने का भी उन्हीं से सीखना होगा. ज़माना देखता है तुमको बस बाहर की नज़रों से, तुम्हें भीतर की नज़रों से ज़माना देखना होगा. सुरेन्द्र चतुर्वेदी

એક નાનકડી મોબાઈલ કવિતા

તમે ડાયલ કરેલો નંબર કોઈ ઉપાડતું નથી, તમે સળી ન કરો ત્યાં સુધી સંબંધ કોઈ બગાડતું નથી... અહીં દરેકનો એક જ પ્રકારનો સ્વાર્થી સૂર છે પરમાર્થનો આગવો રિંગટોન કોઈ વગાડતું નથી... તમે ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે, દરેક કૉલર પોતપોતાના સંજોગોથી ત્રસ્ત છે!

થોડાં પ્રકીર્ણ વિચારો....

નિયમિત કસરત કરવાથી જીવનમાં તણાવ ઓછો થાય છે. નિયમિત કસરત કરવા છતાં પ્રૉફેશનલ બૉડી બિલ્ડર જેવો દેખાવ ન મળે તેનાથી જીવનમાં તણાવ વધે છે. *               *                *                 *                    *                         * બાહ્ય જગતના વિચારો, નિયમો, સિદ્ધાંતો સાથે થતાં ગતિરોધમાંથી સર્જકને પોતાની અભિવ્યક્તિ માટેનાં વિચારબીજ સાંપડે છે. સર્જકનું કામ પરિવર્તનના 'પ્રહરી' બનવાનું નથી, એણે તો પોતાને દેખાતી અને અકળાવતી વિસંગતિઓ પર કલમ ચલાવતાં 'પ્રહારી' બનવાનું છે. એના સર્જનમાંથી પ્રેરણા લઈને વાચકો વ્યક્તિગત કે સામૂહિક સ્તર પર પરિવર્તન આણવાની કોશિશ કરે એ સર્જનની આડનીપજ ચોક્કસ બની શકે. *               *                *                 * ...