ઉસ્તાદ ઝાકિર હુસૈન: અરે હુઝૂર, ઉન્હેં સંગીત કા સરતાજ બોલિયે!
કોરોનાકાળથી અત્યાર સુધીમાં આપણી વચ્ચેથી વિદાય લઈ ગયેલા શાસ્ત્રીય સંગીતના સિતારાઓમાં પંડિત રાજન મિશ્ર, પંડિત દેબૂ ચૌધરી, પ્રતીક ચૌધરી, પંડિત શુભાંકર બેનર્જી, પંડિત બિરજુ મહારાજ, પંડિત શિવકુમાર શર્મા, પંડિત ભજન સોપોરી, ઉસ્તાદ રાશિદ ખાન, વિદુષી પ્રભા અત્રે ઉપરાંત વધુ એક નામનો ઉમેરો થયો: ઉસ્તાદ ઝાકિર હુસૈન કુરેશી. (અમદાવાદમાં સપ્તકના સ્થાપક પંડિત નંદન મહેતાનાં પત્ની મંજુ મહેતા ઑગસ્ટ 2024માં અવસાન પામ્યાંં.) લાંબા સમય પહેલાં સપ્તકમાં ઝાકિરજીનો તબલા સોલોનો કાર્યક્રમ સાંભળવા ગયેલો ત્યારે મારી બાજુમાં બેઠેલા એક વડીલ કવિએ ઝાકિરજીને નિષ્પલક તાકી રહીને ટિપ્પણી કરેલી કે આ માણસમાં કંઈક તો છે! "આ માણસમાં કંઈક તો છે!" એ પ્રકારના X-factorની મને ઝાકિરજી સિવાયના બીજા એક તબલાવાદકમાં ઝલક દેખાઈ હોય તો એ હતા દિલ્હી ઘરાનાના તબલાવાદક ઉસ્તાદ શફાત અહેમદ ખાન. પણ જેમ અત્યંત પ્રતિભાશાળી સિતારવાદક પંડિત નિખિલ બેનર્જી 55 વર્ષની વયે દુનિયા છોડી ગયા એમ શફાત અહેમદ ખાન 51 વર્ષની ઉંમરે ચાલ્યા ગયા. ज़माना बड़े शौक़ से सुन रहा था/ हमीं सो गए दास्ताँ कहते कहते... સાકિબ લખનવીનો આ શેર અકાળે અસ્ત પામી ગયેલા આ બે કલાક...