Posts

ઉસ્તાદ ઝાકિર હુસૈન: અરે હુઝૂર, ઉન્હેં સંગીત કા સરતાજ બોલિયે!

Image
કોરોનાકાળથી અત્યાર સુધીમાં આપણી વચ્ચેથી વિદાય લઈ ગયેલા શાસ્ત્રીય સંગીતના સિતારાઓમાં પંડિત રાજન મિશ્ર, પંડિત દેબૂ ચૌધરી, પ્રતીક ચૌધરી, પંડિત શુભાંકર બેનર્જી, પંડિત બિરજુ મહારાજ, પંડિત શિવકુમાર શર્મા, પંડિત ભજન સોપોરી, ઉસ્તાદ રાશિદ ખાન, વિદુષી પ્રભા અત્રે ઉપરાંત વધુ એક નામનો ઉમેરો થયો: ઉસ્તાદ ઝાકિર હુસૈન કુરેશી. (અમદાવાદમાં સપ્તકના સ્થાપક પંડિત નંદન મહેતાનાં પત્ની મંજુ મહેતા ઑગસ્ટ 2024માં અવસાન પામ્યાંં.) લાંબા સમય પહેલાં સપ્તકમાં ઝાકિરજીનો તબલા સોલોનો કાર્યક્રમ સાંભળવા ગયેલો ત્યારે મારી બાજુમાં બેઠેલા એક વડીલ કવિએ ઝાકિરજીને નિષ્પલક તાકી રહીને ટિપ્પણી કરેલી કે આ માણસમાં કંઈક તો છે! "આ માણસમાં કંઈક તો છે!" એ પ્રકારના X-factorની મને ઝાકિરજી સિવાયના બીજા એક તબલાવાદકમાં ઝલક દેખાઈ હોય તો એ હતા દિલ્હી ઘરાનાના તબલાવાદક ઉસ્તાદ શફાત અહેમદ ખાન. પણ જેમ અત્યંત પ્રતિભાશાળી સિતારવાદક પંડિત નિખિલ બેનર્જી 55 વર્ષની વયે દુનિયા છોડી ગયા એમ શફાત અહેમદ ખાન 51 વર્ષની ઉંમરે ચાલ્યા ગયા. ज़माना बड़े शौक़ से सुन रहा था/ हमीं सो गए दास्ताँ कहते कहते... સાકિબ લખનવીનો આ શેર અકાળે અસ્ત પામી ગયેલા આ બે કલાક...

શાસ્ત્રીય સંગીતના રાગો વિશે સપાટી પરનાં અવલોકનો

બરવા એ સાંજનો દેસી રાગ છે. ગૌડ સારંગ એ બપોરનો બિહાગ છે. દેશકર એ સવારનો ભૂપાલી છે. માલકૌંસમાં કોમળ નિષાદને શુદ્ધ કરવાથી ચંદ્રકૌંસ મળે છે. ચંદ્રકૌંસમાં રિષભ ઉમેરતાં કૌશિક રંજની નામનો રાગ મળે છે. કોઈપણ રાગ કૌંસ તરીકે ક્વૉલિફાઇ થઈ શકે તે માટે એ રાગમાં રિષભ વર્જિત હોવો ફરજિયાત છે, જેમકે માલકૌંસ ચંદ્રકૌંસ, જોગકૌંસ, ભાવકૌંસ. ભાવકૌંસ રાગને પંચમ, ભિન્ન ષડજ, હિંડોલી અને કૌશિકધ્વનિ પણ કહેવામાં આવે છે. માત્ર એક નિષાદના ફરકથી પટદીપ અને ભીમપલાસી રાગો એકબીજાથી બહુ અલગ પડી જાય છે. પટદીપમાં ધૈવત પડતો મૂકવાથી મધુરંજની નામનો રાગ મળે છે. દેશકરમાં રિષભ અને ધૈવતને કોમળ કરવાથી વિભાસ રાગ મળે છે. દુર્ગામાં રિષભ અને ધૈવતને કોમળ કરવાથી ગુણકલી રાગ મળે છે. સા, ગ અને પ એમ માત્ર ત્રણ સૂરો ધરાવતો દુર્લભ અને ગાવામાં અત્યંત કઠિન એવો માલશ્રી રાગ છે. મારુ બિહાગમાં કોમળ નિષાદનો ઉપયોગ કરવાથી વાચસ્પતિ રાગ મળે છે. ચંપાકલી અને વાચસ્પતિમાં એક જેવા સૂરો લાગે છે. ફરક એટલો છે કે ચંપાકલીમાં અવરોહમાં ગાંધાર અને વાચસ્પતિમાં અવરોહમાં રિષભ પર વધારે ભાર મૂકવામાં આવે છે. દેશકર અને ભૂપાલીના સૂરો સમાન છે પરંતુ દેશકરમાં શુદ્ધ ધૈવત પર વ...

૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત

૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનો દેખાવ અપેક્ષા કરતાં નબળો રહ્યો. એકાદ ગોલ્ડ મેડલ સહિત કુલ દસેક ચંદ્રકો જીતવાની આશા હતી એને બદલે પાંચ કાંસ્ય ચંદ્રકો અને એક રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. હૉકી ટીમે સતત બીજી વખત કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો, પણ હૉકી અને બૉક્સિંગ બંનેમાં નિર્ણાયકો, રેફરીઓના ઘણા વિવાદાસ્પદ નિર્ણયો ભારતની વિરુદ્ધ ગયા હોવા બાબતે ભારતના ઘણા સમર્થકોએ X (જૂનું ટ્વિટર) માધ્યમ પર આક્રોશ વ્યક્ત કર્યો. બૉક્સિંગમાં ખાસ કરીને નિશાંત દેવ ક્વાર્ટર ફાઇનલમાં સ્પષ્ટ વિજેતા હોવા છતાં એને પરાજિત જાહેર કરવામાં આવ્યો. હૉકીમાં ગ્રેટ બ્રિટન સામેની ક્વાર્ટર ફાઇનલમાં અમિત રોહિદાસને એના કોઈ વાંક વગર રેડ કાર્ડ બતાવવામાં આવતાં એણે જર્મની સામેની મહત્ત્વની સેમી-ફાઇનલમાં બહાર બેસી રહેવું પડ્યું અને ભારતીય હૉકી ટીમનો લય તૂટ્યો. એ ઉપરાંત પણ પેનલ્ટી કૉર્નર બાબતના ઘણા નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા અને ભારત માટે નડતરરૂપ બન્યા. જેવેલિન થ્રોમાં પાકિસ્તાની ખેલાડી અર્શદ નદીમે ૯૦ મીટરથી ઉપરનો થ્રો કરીને બધાને ચોંકાવી દીધા. નીરજ ચોપડા ૯૦ મીટરના અંતરને આંબી શક્યા નહિ અને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો. આ ઉપરાંત...

બ્લૉગનું નામ બદલીને 'उधार की ज़िंदगी' કેમ કર્યું?

એક દિવસ વિચાર કરતાં જણાયું કે આપણે જેને આપણા મૌલિક વિચારો માનીએ છીએ, એમાં મૌલિકતા જેવું ભાગ્યે જ કશું હોય છે. અન્ય વ્યક્તિ, સમાજ, વિશ્વ સાથે સંપર્કમાં આવીને આપણે જાતજાતના પ્રભાવો ઝીલતા હોઈએ છીએ અને આપણી અભિવ્યક્તિ પર આની પ્રબળ અસર પડતી હોય છે.  સાલિમ સલીમના એક ઉર્દૂ શેરની જેમ "अपने जैसी कोई तस्वीर बनानी थी मुझे/ मेरे अंदर से सभी रंग तुम्हारे निकले" એ પ્રકારની સ્થિતિ મોટાભાગના લોકોની હોય છે. ગઝલવિશ્વના છેલ્લા અંકમાં રાજેશ વ્યાસ મિસ્કીને મારી એક ગઝલ છાપી હતી એ ગઝલના કાફિયા અમૃત ઘાયલની એક ગઝલમાંથી લીધા હતા, માત્ર એ કાફિયા ફરતે જે વિચારો વ્યક્ત કર્યા એમાં થોડી નવીનતા હતી. વાતો બધી એકની એક જૂની-પુરાણી હોય છે, માત્ર એ રજૂ કરવાનો ઢંગ બદલાયા કરતો હોય છે અને આપણે કશુંક મૌલિક રજૂ કર્યાનું ગુમાન લઈને પોરસાયા કરીએ છીએ. આ તો થઈ વિચારોની અભિવ્યક્તિ બાબતે ઉધારની વાત. હવે નાણાકીય દૃષ્ટિએ ઉધારની વાત કરું તો આ વર્ષે આવકની દૃષ્ટિએ ટ્રાન્સલેશનના મુખ્ય વ્યવસાય કરતાં વધારે કમાણી કરી આપનાર શેરબજારમાં રોકાણ કરવા માટે પણ બેન્કો પાસેથી જરૂર પડે ત્યારે ઉધાર રકમ લેતો રહું છું.  આમ, વૈચારિક અને નાણાકીય બ...

खूबसूरती पर एक कविता

खूबसूरती के अंदर मुझे आप यह बताओ कि आपकी पर्सनली क्या कमाई है, खूबसूरती हासिल करने में ? पंक्तियां थीं कि खूबसूरती जो कमाई नहीं ताप की अनायास मिलती है शक्ल मां बाप की खूबसूरती जो कमाई नहीं ताप की अनायास मिलती है शक्ल मां बाप की खुद निखरने लगती है, खुद ही ढल जाती है मेहनत तो इसमें न ढेली भर है आपकी! फिर भी अकड़ आसमान अड़ जाती है सुंदरी इतर बावली हो मंडराती है चमड़ी के निखार का भी घमंड उसे जो धूप लगते मात्र ही में सड़ जाती है और वास्तविक खूबसूरती तो स्वभाव है बौद्धिक लोगों का इसी बात पे झुकाव है और आप जिसे खूबसूरती बताते हैं कुछ नहीं वो आपका हार्मोनल चढ़ाव है!

नि:स्वार्थ प्रेम की परिभाषा (जोगिन्दर तिवारी)

Speaker 1 : जोगी जी!  Speaker 2: हाँ भाई।  Speaker 1: लोग बहुत बोलते हैं कि मां बाप भगवान का रूप होते हैं और जो माँ का प्रेम होता है वो नि:स्वार्थ प्रेम होता है और आप तो पर नि:स्वार्थ प्रेम की कुछ अलग ही परिभाषा देते हैं कि आप बोलते हैं कि जो स्वयं को जानता है वही नि:स्वार्थ प्रेम होता है।  Speaker 2: मैं आपको एक कहानी सुनाता हूँ। एक बार हॉस्पिटल में क्या होता है? एक महिला होती है उसको बच्चे का जन्म होता है तो वो अपने बच्चे को उठा कर के छाती से लगाकर एकदम रो रही होती है बिल्कुल प्रेम में एकदम आंसू बहा रही होती है। इतने में डॉक्टर अंदर आता है। डॉक्टर बोलता है आपका बच्चा वो नहीं, वो दूसरा वाला है। आपने गलत बच्चा उठा लिया। वो माँ फटाक से उस बच्चे को छोड़ती है और वो दूसरे वाले को जाकर उठा लेती है। तो ये क्या हुआ?  नि:स्वार्थ प्रेम था ना उसका तो। उसमें स्वार्थ था ही नहीं तो ऐसा क्यों किया? और यह पता है ना आपको कि एक माँ है उसके पास में बच्चा है जिसको वो गले से लगाकर घूम रही है। वो देख रही है कि उसमें बरसात में, ठंड में, गर्मी में, दूसरा बच्चा एक छोटा सा वो भूखा वहाँ पे पड...

દ્રૌપદી વસ્ત્રાહરણ અંગે કૃષ્ણ-અર્જુન સંવાદ

 હાલમાં કોલકતાની એક હૉસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે થયેલ બળાત્કાર અને હત્યાના હિચકારા કૃત્યની દેશ આખામાં ચર્ચા છે ત્યારે આ આખા મામલા અંગે મહાભારત ટીવી શ્રેણીમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચે દ્રૌપદીના વસ્ત્રાહરણ અંગે સંવાદનો એક વિડીયો મળ્યો એ વિડીયો અહીં મૂક્યો છે અને હિન્દીમાં એનું લિપ્યંતરણ (transcription) રજૂ કર્યું છે.  अर्जुन: तो क्या द्रौपदी वस्त्रहरण पर मुझे क्रोध नहीं आना चाहिए था , केशव ? कृष्ण: यह निर्णय तो स्वयं तुम्हें लेना है , पार्थ! किंतु द्रौपदी वस्त्रहरण केवल तुम्हारी व्यक्तिगत समस्या नहीं है , पार्थ! जो समाज इंद्रप्रस्थ की पटरानी महाराज द्रुपद की पुत्री और पांडवों की पत्नी द्रौपदी के वस्त्रहरण पर चुप रह गया वो समाज भला किसी साधारण नारी के मान सम्मान की क्या रक्षा करेगा ? द्रौपदी वस्त्रहरण एक सामाजिक समस्या है , पार्थ! एक सामाजिक समस्या है और यह तुम्हारा कर्तव्य है कि तुम उन शक्तियों को नष्ट करने के लिए युद्ध करो , जो किसी द्रौपदी का वस्त्रहरण कर सकती हैं। ये शक्तियां समाज की शत्रु हैं , पार्थ! और जो महापुरुष इस युद्ध में उन शक्तियों के पक्ष में हैं , उनसे युद्...