જાત સાથેના સંવાદ અને જગતના અવલોકનમાંથી સ્ફુરેલી કવિતા

ન બોલે તો કહે મૂંગો છે બોલે તો કહે કેમ બોલે છે 
કાં અમે છીએ ઊંઘમાં કાં તું ચડ્યો કોઈ ઝોલે છે


વ્યર્થ વાતોમાં વખત ન આપું, સદા રહું નિજ મસ્તીમાં 
ખણખોદ મારી કરવા મારા નિંદકો વળ્યા ટોળે છે 


કીર્તિ મારી આંબી ગઈ અલકમલકનાં સીમાડાં
અલેલટપ્પુ જો એ ઊભા પંચાત કરતાં પોળે છે 


દાઝેલાંને મૂકું પડતાં, દૂઝે એને દુ:ખવું નહીં
અલગારી છે જાત મારી, ક્યાં લીધા કોઈને ખોળે છે


વાંચી કોઈ ઝૂમે ખરું તો કોઈ અચાનક ઝૂરે પણ
સંવેદનાની શાહીમાં કોઈ કલમ મારી ઝબોળે છે


અનુભવોનું ફલક વિશાળ અંદાજ એવો બેમિસાલ 
ઓથમીર એ અક્કલના જે મુજ સર્જન સ્રોત ખોળે છે

Comments

Popular posts from this blog

नि:स्वार्थ प्रेम की परिभाषा (जोगिन्दर तिवारी)

દ્રૌપદી વસ્ત્રાહરણ અંગે કૃષ્ણ-અર્જુન સંવાદ

શાસ્ત્રીય સંગીતના રાગો વિશે સપાટી પરનાં અવલોકનો