યાદચ્છિક વિચારો...

હું જે કંઈપણ લખું કે કહું એના પ્રવાહમાં, એની સરવાણીમાં તું ઘડી બે ઘડી તારા હાથથી મોં પર છાલક મારી લે કે પગ બોળીને લઈ લે તો કોઇ વાંધો નથી. પણ એ પ્રવાહમાં માથાબોળ સ્નાન કરવા ઉતરે કે એ પ્રવાહના વેગમાં તારી જાતને તણાવા કે વહેવા દે પછી એમાંથી કેમ બચી નીકળવું એ મને ન પૂછીશ.

*     *     *     *     *     *     *     *    *     *     * 

જનસૂના અવાવરુ બ્લૉગ પર વર્ચ્યુઅલ કાગડાં ઊડતાં હોય એવી ઍનિમેટેડ થીમ બનાવી આપનાર કોઇ પ્રોગ્રામર આ દુનિયામાં મળે ખરો?

*     *     *     *     *     *     *     *    *     *     * 

બહારથી પ્રૉફેટ (prophet) જેવા લાગતાં માણસો અંદરખાનેથી પ્રૉફિટના (profit)માણસો નીકળે ત્યારે આપણી શ્રદ્ધા અને વિશ્વાસના પાયા ડગમગી જતાં હોય છે.

Comments

Popular posts from this blog

नि:स्वार्थ प्रेम की परिभाषा (जोगिन्दर तिवारी)

દ્રૌપદી વસ્ત્રાહરણ અંગે કૃષ્ણ-અર્જુન સંવાદ

શાસ્ત્રીય સંગીતના રાગો વિશે સપાટી પરનાં અવલોકનો