અન્યની શી રીતે કરશે માપણી (સુનીલ શાહ)

અન્યની શી રીતે કરશે માપણી,
કૈં અલગ ઊંચાઈ પર ખુદને ગણી.?

સ્નેહની કૂંપળ વિશે સમજે શું એ..?
જેણે જીવનભર નવી ભીંતો ચણી.

થાકનો તો પ્રશ્ન ક્યાંથી ઉદભવે,
છે સફરનો માર્ગ તારા ઘર ભણી.

હોય પરપોટો અને પથ્થર નજીક,
ફૂટવાની શક્યતા રહે છે ઘણી.!

પાંખ આવી કે એ બસ ઊડી જશે,
એ ગણીને, રાખજે તું લાગણી..!

સુનીલ શાહ

Comments

Popular posts from this blog

नि:स्वार्थ प्रेम की परिभाषा (जोगिन्दर तिवारी)

દ્રૌપદી વસ્ત્રાહરણ અંગે કૃષ્ણ-અર્જુન સંવાદ

શાસ્ત્રીય સંગીતના રાગો વિશે સપાટી પરનાં અવલોકનો