શાસ્ત્રીય સંંગીતના રાગો ઓળખવામાં ક્યારેક થતી ભૂલો

 મને શાસ્ત્રીય સંગીતમાં ઊંડો રસ છે અને ઘણા રાગો એવા છે જેના સૂરો કોઈ કલાકાર છેડવાની શરૂઆત કરે કે તરત એ રાગ ઓળખી જતો હોઉં છું અને ઘણાખરા રાગ વિશેનાં મારાં અનુમાન સાચાં પડતાં હોય છે.

છતાં, ક્યારેક અમુક રાગમાં એટલો ખોવાઈ ગયો હોઉં કે એ રાગ ગાયા પછી ગાયક બીજો જ રાગ તરત શરૂ કરી દે ત્યારે આ અચાનક થતા switch overને કારણે રાગ ઓળખવામાં તકલીફ પડતી હોય છે. 2013માં મુંબઈમાં હૃદયેશ ફૅસ્ટિવલમાં હું ઉસ્તાદ અમજદ અલી ખાનનું સરોદવાદન સાંભળવા ગયો હતો ત્યારે આવું થયું હતું. એમણે કાર્યક્રમની શરૂઆતમાં જાહેરાત કરી કે હું બૈરાગીનો આલાપ, જોડ અને ઝાલા વગાડીશ જ્યારે ગતમાં આહિર ભૈરવ વગાડીશ. ગત એ એવો ભાગ છે  જેમાં તબલાવાદક સાથે સંગત કરે છે, જ્યારે આલાપ, જોડ, ઝાલામાં તબલાં વાગતાં નથી. એમણે બૈરાગી વગાડ્યો, એ  રાગની અસરમાં મન એટલું  ડૂબી ગયું કે એના પછી આહિર ભૈરવ શરૂ કર્યો ત્યારે ધ્યાન જ  ન રહ્યું કે આ બીજો રાગ પણ એમણે રજૂ કર્યો હતો.

હમણાં વડોદરામાં 10 ઍપ્રિલ 2022ના રોજ પંડિત રાજન-સાજન મિશ્રાના શિષ્યો પ્રભાકર અને દિવાકર કશ્યપ ઉર્ફે કશ્યપ બંધુઓએ લગભગ ચાળીસ મિનિટ સુધી દેસી રાગ ગાયો અને ત્યારબાદ બિલકુલ વિરામ વિના બીજી જ ક્ષણે એમણે વૃંદાવની સારંગ રાગ પ્રસ્તુત કર્યો ત્યારે પણ  હું વૃંદાવની સારંગ રાગને ઓળખવામાં ગૂંચવાઈ ગયો હતો. 

 

Comments

Popular posts from this blog

नि:स्वार्थ प्रेम की परिभाषा (जोगिन्दर तिवारी)

દ્રૌપદી વસ્ત્રાહરણ અંગે કૃષ્ણ-અર્જુન સંવાદ

શાસ્ત્રીય સંગીતના રાગો વિશે સપાટી પરનાં અવલોકનો